Karva Chauth 2026 Date: કરવા ચોથ 2026 ક્યારે છે? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય

Karva Chauth 2026 Date: કરવા ચોથ 2026 તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત, 14 કલાકના નિર્જળા ઉપવાસનો સમય અને રાત્રે ચંદ્રોદયના ચોક્કસ સમય વિશે અહીં વિગતવાર વાંચો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 18 Sep 2026 02:27 PM (IST)Updated: Fri, 18 Sep 2026 02:27 PM (IST)
karva-chauth-2026-date-gujarati-calendar-tithi-moonrise-time-puja-samagri-significance

Karva Chauth 2026 Date and Time: હિંદુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. પતિના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધી કઠિન નિર્જળા ઉપવાસ રાખે છે. સાંજના સમયે શિવ પરિવારની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કર્યા બાદ રાત્રે આકાશમાં ચંદ્રદેવના દર્શન કરી અર્ઘ્ય અર્પણ કરીને વ્રતના પારણાં કરવામાં આવે છે. ચાલો જાણીએ વર્ષ 2026માં કરવા ચોથ ક્યારે છે? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને ચંદ્રોદયનો સમય.

કરવા ચોથ 2026 તારીખ

વૈદિક પંચાંગની ગણતરી મુજબ, કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ રહેશે. ચતુર્થી તિથિનો પ્રારંભ 29 ઓક્ટોબરના રોજ રાત્રે 1:06 વાગ્યે થશે અને તેનું સમાપન તે જ દિવસે રાત્રે 10:09 વાગ્યે થશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કરવા ચોથનું વ્રત રાખે છે.

કરવા ચોથ 2026 પૂજાનું શુભ મુહૂર્ત

કરવા ચોથના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:04થી રાત્રે 7:20 વાગ્યા સુધી રહેશે. કરવા વ્રતની પૂજા માટે સાંજે 1 કલાક 16 મિનિટનો વિશેષ શુભ સમય મળશે. પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:04થી રાત્રે 7:20 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન મહિલાઓ વિધિ-વિધાનપૂર્વક કરવા માતાની પૂજા કરી શકે છે.

કરવા ચોથના દિવસે ઉપવાસનો સમયગાળો સવારે 6:43 વાગ્યાથી રાત્રે 8:52 વાગ્યા સુધી રહેશે, જે કુલ 14 કલાક 9 મિનિટનો છે. કરવા ચોથ વ્રત દરમિયાન ચંદ્રોદયની રાહ જોવામાં આવે છે અને આ વર્ષે ચંદ્રોદયનો ચોક્કસ સમય રાત્રે 8:52 વાગ્યે રહેશે.

કરવા ચોથનો શાબ્દિક અર્થ શું થાય છે?

'કરવા' શબ્દનો અર્થ પૂજામાં વપરાતું માટીનું પવિત્ર પાત્ર થાય છે, જ્યારે 'ચોથ' એટલે પૂનમ પછીનો ચોથો દિવસ. હિંદુ ચંદ્ર-સૌર પંચાંગ અનુસાર કારતક મહિનાની પૂર્ણિમા પછીના ચોથા દિવસે આ તિથિ આવતી હોવાથી તેને 'કરવા ચોથ' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સંકષ્ટી ચતુર્થીનો સંયોગ પણ બનતો હોવાથી પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની આરાધનાનું ફળ બમણું થઈ જાય છે.

કરવા ચોથ વ્રતનું ધાર્મિક મહત્વ

કરવા ચોથનું પર્વ દાંપત્ય પ્રેમ, સમર્પણ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ દિવસે મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. પૂજા દરમિયાન ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની પ્રતિમા સ્થાપિત કરી માટીના કરવા (પાત્ર) સાથે વિધિવત અર્ચના કરવામાં આવે છે. રાત્રે 08:52 વાગ્યે ચંદ્રના ઉદય બાદ ચાળણીમાંથી ચંદ્ર દર્શન કરી અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પત્ની પોતાના પતિના હાથે જળ ગ્રહણ કરીને 14 કલાકથી વધુ સમયના નિર્જળા ઉપવાસને પૂર્ણ કરે છે.